'જાકો રાખે સાંઇયા, માર સકે ના કોઈ' કહેવત બોલતા તો તમે ઘણા લોકોને સાંભળ્યા હશે. રાજસ્થાનના નાગૌરમાં આવી જ એક ઘટના બની છે, જેને માનવી મુશ્કેલ છે. ભયંકર અકસ્માતનો ભોગ બનેલી કાર જોતજોતામાં 8 ગુલાંટી મારી ગઈ. પરંતુ ચમત્કાર એ હતો કે કારમાં બેઠેલા 5 લોકોમાંથી કોઈને સહેજ પણ ઈજા નથી થઈ. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.
સી.એચ.વિદ્યાલય દ્વારા આનંદના મેળાનું આયોજન સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો..
તપન પરમાર હત્યા કેસના આરોપીઓને એસ એસ જી લઇ જવાયા
તાજેતરમાં વાસદમાં આવેલી એસ.વી.આઈ.ટી ખાતે સ્પેશિયલ બાળકો માટે યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિફાઇડ સ્પોર્ટ્સમાં સ્પેશીયલ એથ્લીટસની સાથે પાર્ટનર તરીકે નોર્મલ એથ્લીટસ હોય છે. અને આ બંને ખેલાડીઓની ટીમ આવી જ એક ટીમ સાથે સ્પર્ધા કરે છે. ત્યારે આ યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધામાં 40થી પણ વધુ એથ્લિટસે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં BRG ગ્રુપના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. અર્જુનસિંહ મકવાણા, નેશનલ પેરા એથલીટ રાકેશ મોદી સ્પેશીયલ ઓલમ્પિક ગુજરાતના ટ્રસ્ટી જીગ્નેશ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાની અંતે સર્વે વિજેતા ખેલાડીઓને એસ.વી.આઈ.ટી સંસ્થાના હેડ દ્વારા મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડૉ.વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, ઉપાધ્યક્ષ શંભુ પટેલ, મંત્રી ભાવેશ પટેલ, ખજાનચી કિશોર પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપક પટેલ, આચાર્ય ડૉ.ડી.પી. સોની, પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિકાશ અગ્રવાલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને યુનિફાઇડ એથ્લેટ્સને તેમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. અને દિવ્યાંગજનો એમના જીવનમાં આગળ સફળ થાય એવી શુભકામના પાઠવી હતી.
શહેરની એસ એસ જી હોસ્પીટલમાં ભાજપના પૂર્વ કાઉન્સીલર રાજા પરમારના પુત્ર તપનની હત્યા થઇ હતી જેમાં ઝઘડાની અદાવતમાં કુખ્યાત બાબર હબીબખાન પઠાણ તેના ભાઈ સોનું પઠાણ, વસીમ નરુમહમદ મન્સરુીએ ઘાતકી હત્યા કરી હતી જે ઘટના કારેલીબાગ પોલીસની હાજરીમાં જ બની હતી જેને પગલે સમગ્ર પોલીસ વિભાગ પર કાળી ટીલ્લી લાગી હતી પોલીસે પોતાની છાપ સુધારવા કારેલીબાગ પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ જ બદલી નાખ્યો હતો અને આ પ્રકરણમાં પોલીસે આ તમામની સાથે શબનમ વસીમ નરુમહમદ મન્સરુીની પણ ધરપકડ કરી હતી જેમાં અદાલતે તમામને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો દરમ્યાન આજે આ તમામને મેડીકલ ચેકઅપ માટે બંદોબસ્ત સાથે એસ એસ જી લઇ જવામાં આવ્યા હતા જ્યાં તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ વખતે એ ડીવીઝનના એ સી પી એ વી કાટકર પણ હાજર રહ્યા હતા અને બ્લડ સેમ્પલ તેમજ જરૂરી મેડીકલ ચેકઅપ બાદ ફરી બંદોબસ્ત સાથે જેલમાં લઇ જવામાં આવ્યા હતા
ગઈકાલે ૩૧મી ડિસેમ્બરની ઉજવણીને લઈને છેલ્લા બે દિવસથી વડોદરા શહેર પોલીસ કડક બંદોબસ્ત અને વાહન ચેકીંગ માટે જોતરાઈ હતી. જેમાં ગઈકાલે ૩૧મી ડિસેમ્બરની રાત્રે પણ વડોદરા શહેર પોલીસ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું. અને કાર્યવાહી કરી હતી. ત્યારે પોલીસની આ કામગીરી અંગે વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા આ કામગીરી દરમ્યાન દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા કેટલાક વાહન ચાલકોને સયાજી હોસ્પિટલ ખાતે મેડીકલ તપાસ માટે પણ લઈ જવામાં આવ્યા હતા. જે અંગે સયાજી હોસ્પિટલનાં RMO ડો.હિતેન્દ્ર ચૌહાણે વધુ માહિતી આપી હતી.
વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સ્થાયી સમિતિનાં અધ્યક્ષની ઓફીસની બાજુમાં કોન્ફરન્સ હોલ બહાર પેસેજમાં લાગેલા વાયરોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જોકે સ્થળ પર હાજર સિક્યોરિટી જવાને સમય સૂચકતા વાપરી અગ્નિશમકનો ઉપયોગ કરી આગને બુજાવી હતી. જોકે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ લાગેલી આગના કોલ માટે ફાયર બ્રીગેડની ટીમ સવા બે વાગ્યની આસપાસ વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી હતી. ત્યારે આગ બુઝાઈ ગયા બાદ ફાયર બ્રિગેડની ટીમ પાલિકાની વડી કચેરીએ પહોંચતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે તેવામાં મોટી આગ લાગી હોત અને ફાયર બ્રિગેડની ટીમ આટલી મોડી પહોંચી હોત તો જવાબદાર કોણ તેને લઈને પાલિકામાં ચર્ચાઓ શરૂ થઇ છે.
શહેર પી સી બી એ ખેડા જીલ્લાના મહેમદાવાદની સનમ પાર્ક સોસાયટીમાં રહેતા જાફર અનવરભાઇ મનસુરી તથા સલમાન ગુલામનબી વ્હોરાની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ અને સુરત જેલમાં મોકલી આપ્યા છે. આ બન્નેએ તરસાલી વિજય નગર સોસાયટીના ગાર્ડન બહારથી એક મહિલાને મુસાફર તરીકે બેસાડી હતી અને મહિલાને વાતોમાં પરોવી ગળામાંથી કટર વડે સોનાની ચેન કાપી લીધી હતી. ત્યારબાદ મહિલાને રિક્ષામાંથી ઉતારી દીધી હતી. ૩૫ હજારની ચેનની ચોરી અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આવી જ રીતે આ બન્નેએ અન્ય એક મહિલાના ગળામાંથી ૩૦ હજારની ચેન ચોરી લીધી હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જાફરએ સિટી, ગોત્રી, અમદાવાદ શહેરના મણીનગર અને ખેડા જીલ્લામાં પણ ગુન્હાને અંજામ આપ્યા છે તેવી જ રીતે સલમાને પાદરા તેમજ કાલોલ પોલીસ મથકની હદમાં આવા ગુન્હા કર્યા છે
એમ એસ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમાં વાઇસ ચાન્સલર ડૉ વિજયકુમાર શ્રીવાસ્તવ, રજીસ્ટ્રાર ડોક્ટર કે .એમ ચુડાસમા, સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારીયા , જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા અને તમામે મહારાજા સર સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સાથે એમ એસ યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના જાજરમાન ઈતિહાસ સાથે તારીખ ૩ જાન્યુઆરીનું વિશેષ મહત્વ રહ્યું છે. વડોદરાના રાજવી પરિવાર દ્વારા દત્તક લેવાયેલાં સર સયાજીરાવ ગાયક્વાડ ત્રીજાના અભુતપૂર્વ શાસનકાળના ૬૦ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરુપે તારીખ ૩ જાન્યુઆરી ૧૯૩૬ના રોજ વડોદરામાં હિરક મહોત્સવની રંગારંગ ઉજવણી થઈ હતી. આ દિવસે મહારાજા સયાજીરાવ ગાયક્વાડની હાથી ઉપર સોનાની અંબાડીમાં શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. અને ૧૦ દિવસ સુધી હિરક મહોત્સવની ઉજવણી ચાલી હતી. આ અવસરને આજે ૨૦૨૫માં ૮૯ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.
MSU દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ
Your experience on this site will be improved by allowing cookies.