'જાકો રાખે સાંઇયા, માર સકે ના કોઈ' કહેવત બોલતા તો તમે ઘણા લોકોને સાંભળ્યા હશે. રાજસ્થાનના નાગૌરમાં આવી જ એક ઘટના બની છે, જેને માનવી મુશ્કેલ છે. ભયંકર અકસ્માતનો ભોગ બનેલી કાર જોતજોતામાં 8 ગુલાંટી મારી ગઈ. પરંતુ ચમત્કાર એ હતો કે કારમાં બેઠેલા 5 લોકોમાંથી કોઈને સહેજ પણ ઈજા નથી થઈ. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.
Dadar-Porbandar Saurashtra Express Derailed: દેશમાં છેલ્લાં ઘણાં સમયથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં હાલ ગુજરાતમાં સુરત પાસે કિમ સ્ટેશન પાસે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. નોંધનીય છે કે, ગત મહિને પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી.
Your experience on this site will be improved by allowing cookies.