તાજેતરમાં વાસદમાં આવેલી એસ.વી.આઈ.ટી ખાતે સ્પેશિયલ બાળકો માટે યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિફાઇડ સ્પોર્ટ્સમાં સ્પેશીયલ એથ્લીટસની સાથે પાર્ટનર તરીકે નોર્મલ એથ્લીટસ હોય છે. અને આ બંને ખેલાડીઓની ટીમ આવી જ એક ટીમ સાથે સ્પર્ધા કરે છે. ત્યારે આ યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધામાં 40થી પણ વધુ એથ્લિટસે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં BRG ગ્રુપના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ. અર્જુનસિંહ મકવાણા, નેશનલ પેરા એથલીટ રાકેશ મોદી સ્પેશીયલ ઓલમ્પિક ગુજરાતના ટ્રસ્ટી જીગ્નેશ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાની અંતે સર્વે વિજેતા ખેલાડીઓને એસ.વી.આઈ.ટી સંસ્થાના હેડ દ્વારા મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન ડૉ.વિકાશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, ઉપાધ્યક્ષ શંભુ પટેલ, મંત્રી ભાવેશ પટેલ, ખજાનચી કિશોર પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિપક પટેલ, આચાર્ય ડૉ.ડી.પી. સોની, પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિકાશ અગ્રવાલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને યુનિફાઇડ એથ્લેટ્સને તેમની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. અને દિવ્યાંગજનો એમના જીવનમાં આગળ સફળ થાય એવી શુભકામના પાઠવી હતી.
શહેરની એસ એસ જી હોસ્પીટલમાં ભાજપના પૂર્વ કાઉન્સીલર રાજા પરમારના પુત્ર તપનની હત્યા થઇ હતી જેમાં ઝઘડાની અદાવતમાં કુખ્યાત બાબર હબીબખાન પઠાણ તેના ભાઈ સોનું પઠાણ, વસીમ નરુમહમદ મન્સરુીએ ઘાતકી હત્યા કરી હતી જે ઘટના કારેલીબાગ પોલીસની હાજરીમાં જ બની હતી જેને પગલે સમગ્ર પોલીસ વિભાગ પર કાળી ટીલ્લી લાગી હતી પોલીસે પોતાની છાપ સુધારવા કારેલીબાગ પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ જ બદલી નાખ્યો હતો અને આ પ્રકરણમાં પોલીસે આ તમામની સાથે શબનમ વસીમ નરુમહમદ મન્સરુીની પણ ધરપકડ કરી હતી જેમાં અદાલતે તમામને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો દરમ્યાન આજે આ તમામને મેડીકલ ચેકઅપ માટે બંદોબસ્ત સાથે એસ એસ જી લઇ જવામાં આવ્યા હતા જ્યાં તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ વખતે એ ડીવીઝનના એ સી પી એ વી કાટકર પણ હાજર રહ્યા હતા અને બ્લડ સેમ્પલ તેમજ જરૂરી મેડીકલ ચેકઅપ બાદ ફરી બંદોબસ્ત સાથે જેલમાં લઇ જવામાં આવ્યા હતા
ગઈકાલે ૩૧મી ડિસેમ્બરની ઉજવણીને લઈને છેલ્લા બે દિવસથી વડોદરા શહેર પોલીસ કડક બંદોબસ્ત અને વાહન ચેકીંગ માટે જોતરાઈ હતી. જેમાં ગઈકાલે ૩૧મી ડિસેમ્બરની રાત્રે પણ વડોદરા શહેર પોલીસ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું. અને કાર્યવાહી કરી હતી. ત્યારે પોલીસની આ કામગીરી અંગે વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા આ કામગીરી દરમ્યાન દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા કેટલાક વાહન ચાલકોને સયાજી હોસ્પિટલ ખાતે મેડીકલ તપાસ માટે પણ લઈ જવામાં આવ્યા હતા. જે અંગે સયાજી હોસ્પિટલનાં RMO ડો.હિતેન્દ્ર ચૌહાણે વધુ માહિતી આપી હતી.
વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સ્થાયી સમિતિનાં અધ્યક્ષની ઓફીસની બાજુમાં કોન્ફરન્સ હોલ બહાર પેસેજમાં લાગેલા વાયરોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જોકે સ્થળ પર હાજર સિક્યોરિટી જવાને સમય સૂચકતા વાપરી અગ્નિશમકનો ઉપયોગ કરી આગને બુજાવી હતી. જોકે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ લાગેલી આગના કોલ માટે ફાયર બ્રીગેડની ટીમ સવા બે વાગ્યની આસપાસ વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી હતી. ત્યારે આગ બુઝાઈ ગયા બાદ ફાયર બ્રિગેડની ટીમ પાલિકાની વડી કચેરીએ પહોંચતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે તેવામાં મોટી આગ લાગી હોત અને ફાયર બ્રિગેડની ટીમ આટલી મોડી પહોંચી હોત તો જવાબદાર કોણ તેને લઈને પાલિકામાં ચર્ચાઓ શરૂ થઇ છે.
શહેર પી સી બી એ ખેડા જીલ્લાના મહેમદાવાદની સનમ પાર્ક સોસાયટીમાં રહેતા જાફર અનવરભાઇ મનસુરી તથા સલમાન ગુલામનબી વ્હોરાની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ અને સુરત જેલમાં મોકલી આપ્યા છે. આ બન્નેએ તરસાલી વિજય નગર સોસાયટીના ગાર્ડન બહારથી એક મહિલાને મુસાફર તરીકે બેસાડી હતી અને મહિલાને વાતોમાં પરોવી ગળામાંથી કટર વડે સોનાની ચેન કાપી લીધી હતી. ત્યારબાદ મહિલાને રિક્ષામાંથી ઉતારી દીધી હતી. ૩૫ હજારની ચેનની ચોરી અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આવી જ રીતે આ બન્નેએ અન્ય એક મહિલાના ગળામાંથી ૩૦ હજારની ચેન ચોરી લીધી હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જાફરએ સિટી, ગોત્રી, અમદાવાદ શહેરના મણીનગર અને ખેડા જીલ્લામાં પણ ગુન્હાને અંજામ આપ્યા છે તેવી જ રીતે સલમાને પાદરા તેમજ કાલોલ પોલીસ મથકની હદમાં આવા ગુન્હા કર્યા છે
એમ એસ યુનિવર્સિટી દ્વારા સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી દિવસ નિમિત્તે સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રાજમાતા અને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી જેમાં વાઇસ ચાન્સલર ડૉ વિજયકુમાર શ્રીવાસ્તવ, રજીસ્ટ્રાર ડોક્ટર કે .એમ ચુડાસમા, સાયન્સ ફેકલ્ટીના ડીન હરી કટારીયા , જુદી જુદી ફેકલ્ટીના ડીન સહિત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા અને તમામે મહારાજા સર સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સાથે એમ એસ યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના જાજરમાન ઈતિહાસ સાથે તારીખ ૩ જાન્યુઆરીનું વિશેષ મહત્વ રહ્યું છે. વડોદરાના રાજવી પરિવાર દ્વારા દત્તક લેવાયેલાં સર સયાજીરાવ ગાયક્વાડ ત્રીજાના અભુતપૂર્વ શાસનકાળના ૬૦ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરુપે તારીખ ૩ જાન્યુઆરી ૧૯૩૬ના રોજ વડોદરામાં હિરક મહોત્સવની રંગારંગ ઉજવણી થઈ હતી. આ દિવસે મહારાજા સયાજીરાવ ગાયક્વાડની હાથી ઉપર સોનાની અંબાડીમાં શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. અને ૧૦ દિવસ સુધી હિરક મહોત્સવની ઉજવણી ચાલી હતી. આ અવસરને આજે ૨૦૨૫માં ૮૯ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.
MSU દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ
ભાજપ વડોદરા જિલ્લાના નવા વંદે કમલમ્ કાર્યાલય ના નિર્માણ માટે સહયોગની બાંહેદારી આપી છટકી ગયેલા કહેવાતાં મોટા નેતાઓ આજે જિલ્લા પ્રમુખ બનવાની ઈચ્છા દર્શાવતા આવા લોકોને પાર્ટી તક આપશે તેવો ચર્ચાનો વિષય કાર્યકરોમાં બન્યો છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના કપુરાઈ ખાતેના ભવ્ય વંદે કમલમ્ કાર્યાલયના નિર્માણ સમયે મોટા ઉપાડે સહયોગની વાત કરનારા કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારોએ સહયોગ આપવાની સમયે મદદ પૂરી પાડી ન હતી. આવા કેટલાક નેતાઓ આજે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બનવાનું સ્વપ્નું લઈને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેમને પાર્ટી જિલ્લા પ્રમુખ બનાવે તેવી ઈચ્છા દર્શાવી હતી. નોંધનીય છે કે આ નેતાઓમાં જે તે સમયના વર્તમાન પદાધિકારી તેમજ ધનિક વર્ગમાં જે નેતાઓનો સમાવેશ થાય છે તેવા નેતાઓ પણ છે કે જેમણે નિર્માણના સમય સહયોગનો દાવો કર્યો હતો પરંતુ કોઈ પણ પ્રકારનો સહયોગ તેમણે નિર્માણના સમય આપ્યો ન હતો હવે આવા નેતાઓ જ્યારે પાર્ટી પાસે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટેની ઈચ્છા લઈને પહોંચ્યા છે તો પાર્ટી આવા લોકોને તક આપશે તેવી ચર્ચા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વર્તુળમાં ચર્ચા રહી છે કેટલાક તો સસ્પેન્ડેડ કાર્યકર્તા તથા હોદ્દેદારો આજે જિલ્લા પ્રમુખ બનવાની ઈચ્છા લઈને પહોંચ્યા હતા તો શું પાર્ટી આ તમામ બાબતો ધ્યાને નહીં રાખે તે પ્રકારની ચર્ચા કાર્યકર્તાઓમાં ચર્ચા રહી છે.
વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યંગ ઈન્ડિયા બોલ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં લકડીપુલ ખાતે આવેલ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે યંગ ઈન્ડિયા બોલ પ્રોગ્રામ અંતર્ગત માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ દરમ્યાન યંગ ઇન્ડીયા બોલનાં પોસ્ટરનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાયૅકારી પ્રમુખ પવન ગુપ્તા અને વડોદરા યુવા કોંગ્રેસના પ્રવક્તા ફાલ્ગુન સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી.
વડોદરાના ફતેગંજના રોઝરી સ્કૂલના ઓડિટોરિયમ ખાતે કંકુ કલા કેન્દ્ર દ્વારા આજરોજ કથાકારો કી કથા અધ્યાય એક ના શીર્ષક હેઠળ વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી કંકુ કલા કેન્દ્ર દ્વારા આયોજીત વાર્ષિક દિવસની ઉજવણીમાં સંખ્યામાં કથક કંકુ કલા કેન્દ્ર ડાન્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ દેશના પારંપરિક નૃત્ય એવા કથકની પારંપારિક તથા આધુનિક પદ્ધતિથી ગણેશ વંદના, ટોડા, ટુકડા, પતનીયાસ, તરાના તથા શિવ સ્તુતિ તમામ કથકની પ્રસ્તૃતિ રજુ કરી હતી ગણેશ વંદના તેમજ દીપ પ્રાગટ્ય બાદ અતિથિ વિશેષનું અભિવાદન કરવામાં આવ્યું ટુ આ કાર્યક્રમમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ તમામ પ્રસ્તુતિ રજૂ કકરી હતી, કંકુ કલા કેન્દ્ર દ્વારા 10 જેટલા પરફોર્મન્સ તૈયાર કરવામાં આવ્યા હતા. કંકુ કલાક કેન્દ્રમાં પાંચ વર્ષથી લઈને 50 વર્ષ સુધીના મહિલાઓ કથકની તાલીમ મેળવી રહ્યા છે. કંકુ કલા કેન્દ્રના વાર્ષિક દિવસમાં અતિથિ વિશેષ તરીકે વડોદરાના પ્રખ્યાત કથક ડાન્સર નયનાબેન નાગલે, નેશન પ્લસ ના તંત્રી વશિષ્ઠ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.
સુરત નજીક દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતર્યા, કોઈ જાનહાનિ નહીં
December 24, 2024