Breaking

તપન પરમાર હત્યા કેસના આરોપીઓને એસ એસ જી લઇ જવાયા

શહેરની એસ એસ જી હોસ્પીટલમાં ભાજપના પૂર્વ કાઉન્સીલર રાજા પરમારના પુત્ર તપનની હત્યા થઇ હતી જેમાં ઝઘડાની અદાવતમાં કુખ્યાત બાબર હબીબખાન પઠાણ તેના ભાઈ સોનું પઠાણ, વસીમ નરુમહમદ મન્સરુીએ ઘાતકી હત્યા કરી હતી જે ઘટના કારેલીબાગ પોલીસની હાજરીમાં જ બની હતી જેને પગલે સમગ્ર પોલીસ વિભાગ પર કાળી ટીલ્લી લાગી હતી પોલીસે પોતાની છાપ સુધારવા કારેલીબાગ પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ જ બદલી નાખ્યો હતો અને આ પ્રકરણમાં પોલીસે આ તમામની સાથે શબનમ વસીમ નરુમહમદ મન્સરુીની પણ ધરપકડ કરી હતી જેમાં અદાલતે તમામને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો દરમ્યાન આજે આ તમામને મેડીકલ ચેકઅપ માટે બંદોબસ્ત સાથે એસ એસ જી લઇ જવામાં આવ્યા હતા જ્યાં તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ વખતે એ ડીવીઝનના એ સી પી એ વી કાટકર પણ હાજર રહ્યા હતા અને બ્લડ સેમ્પલ તેમજ જરૂરી મેડીકલ ચેકઅપ બાદ ફરી બંદોબસ્ત સાથે જેલમાં લઇ જવામાં આવ્યા હતા

By TNNNEWS GUJARATI | January 01, 2025 | 0 Comments

૩૧મી ડિસેમ્બરે વડોદરા શહેર પોલીસની કામગીરી

ગઈકાલે ૩૧મી ડિસેમ્બરની ઉજવણીને લઈને છેલ્લા બે દિવસથી વડોદરા શહેર પોલીસ કડક બંદોબસ્ત અને વાહન ચેકીંગ માટે જોતરાઈ હતી. જેમાં ગઈકાલે ૩૧મી ડિસેમ્બરની રાત્રે પણ વડોદરા શહેર પોલીસ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું. અને કાર્યવાહી કરી હતી. ત્યારે પોલીસની આ કામગીરી અંગે વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા આ કામગીરી દરમ્યાન દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા કેટલાક વાહન ચાલકોને સયાજી હોસ્પિટલ ખાતે મેડીકલ તપાસ માટે પણ લઈ જવામાં આવ્યા હતા. જે અંગે સયાજી હોસ્પિટલનાં RMO ડો.હિતેન્દ્ર ચૌહાણે વધુ માહિતી આપી હતી.

By TNNNEWS GUJARATI | January 01, 2025 | 0 Comments

આગ બુઝાઈ ગયા બાદ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી..!!

વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સ્થાયી સમિતિનાં અધ્યક્ષની ઓફીસની બાજુમાં કોન્ફરન્સ હોલ બહાર પેસેજમાં લાગેલા વાયરોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જોકે સ્થળ પર હાજર સિક્યોરિટી જવાને સમય સૂચકતા વાપરી અગ્નિશમકનો ઉપયોગ કરી આગને બુજાવી હતી. જોકે સવારે આશરે 11 વાગ્યાની આસપાસ લાગેલી આગના કોલ માટે ફાયર બ્રીગેડની ટીમ સવા બે વાગ્યની આસપાસ વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચી હતી. ત્યારે આગ બુઝાઈ ગયા બાદ ફાયર બ્રિગેડની ટીમ પાલિકાની વડી કચેરીએ પહોંચતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે તેવામાં મોટી આગ લાગી હોત અને ફાયર બ્રિગેડની ટીમ આટલી મોડી પહોંચી હોત તો જવાબદાર કોણ તેને લઈને પાલિકામાં ચર્ચાઓ શરૂ થઇ છે.

By TNNNEWS GUJARATI | January 03, 2025 | 0 Comments

કંકુ કલા કેન્દ્ર દ્વારા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી

વડોદરાના ફતેગંજના રોઝરી સ્કૂલના ઓડિટોરિયમ ખાતે કંકુ કલા કેન્દ્ર દ્વારા આજરોજ કથાકારો કી કથા અધ્યાય એક ના શીર્ષક હેઠળ વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી કંકુ કલા કેન્દ્ર દ્વારા આયોજીત વાર્ષિક દિવસની ઉજવણીમાં સંખ્યામાં કથક કંકુ કલા કેન્દ્ર ડાન્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ દેશના પારંપરિક નૃત્ય એવા કથકની પારંપારિક તથા આધુનિક પદ્ધતિથી ગણેશ વંદના, ટોડા, ટુકડા, પતનીયાસ, તરાના તથા શિવ સ્તુતિ તમામ કથકની પ્રસ્તૃતિ રજુ કરી હતી ગણેશ વંદના તેમજ દીપ પ્રાગટ્ય બાદ અતિથિ વિશેષનું અભિવાદન કરવામાં આવ્યું ટુ આ કાર્યક્રમમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ તમામ પ્રસ્તુતિ રજૂ કકરી હતી, કંકુ કલા કેન્દ્ર દ્વારા 10 જેટલા પરફોર્મન્સ તૈયાર કરવામાં આવ્યા હતા. કંકુ કલાક કેન્દ્રમાં પાંચ વર્ષથી લઈને 50 વર્ષ સુધીના મહિલાઓ કથકની તાલીમ મેળવી રહ્યા છે. કંકુ કલા કેન્દ્રના વાર્ષિક દિવસમાં અતિથિ વિશેષ તરીકે વડોદરાના પ્રખ્યાત કથક ડાન્સર નયનાબેન નાગલે, નેશન પ્લસ ના તંત્રી વશિષ્ઠ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.

By TNN NEWS Admin | January 13, 2025 | 0 Comments

પ.પૂ. ડો.વાગીશકુમાર મહારાજનો ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવ

પ.પૂ. ડો.વાગીશકુમાર મહારાજનો ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવ

By TNN GUJARATI | May 31, 2025 | 0 Comments